Jammu and Kashmir bus accident: જમ્મુ-કાશ્મીર: 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી બસ, 30થી વધુ લોકોનાં મોત

author
0 minutes, 1 second Read

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના ડોડા વિસ્તારમાં મુસાફરોથી ભરેલી બસ અચાનક ઊંડી ખીણમાં ખાબકી છે. જમ્મુ-કિશ્તવાડ નેશનલ હાઈવે પર બુધવારે એક બસ ચેનાબ નદીની ઊંડી ખીણમાં ખાબકી છે. આ અકસ્માતમાં 30થી વધુ લોકોનાં મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં 50 લોકો સવાર હતા. હાલ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. આશંકા છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે 52 સીટવાળી બસમાં 50 મુસાફરો બેઠા હતા. જમ્મુ-કાશ્મીરના ડોડામાં બુધવારે મુસાફરોથી ભરેલી આ બસ ચેનાબ નદીની ખીણમાં ખાબકી હતી. કેટલાક મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે કેટલાક મુસાફરોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ઘાયલોને અસારના પ્રાથમિક આરોગ્ય સંભાળ (PHC) કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડૉક્ટરો તેમની સારવાર કરી રહ્યા છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે છે અને અકસ્માતના કારણની તપાસ કરી રહ્યા છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *