રાજકોટઃ ટ્રેન અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે. રાજકોટથી વેરાવળ જતી ટ્રેન નીચે બે લોકો કપાયા હતા. આ બનાવ જેતપુર પીઠડીયા નજીક બન્યો હતો. ટ્રેન નીચે આવી જતાં બે લોકોનાં મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં 35 વર્ષીય યુવક અને 12 વર્ષના બાળકનું મોત થયું છે. જ્યારે મૃતકોની ઓળખ માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.