અમદાવાદના સિંઘુભવન રોડ પર અકસ્માત સર્જનાર નબીરાએ શું કહ્યું?

અમદાવાદ: શહેરના સિંધુભવન રોડ પર દિવાળીના દિવસે નબીરાઓ બેફામ બન્યા હતા. વહેલી સવારે 3.26 કલાકે રસ્તો બાનમાં લીધો હતો. મર્સિડીઝ કાર લઇને નીકળેલા નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. મર્સિડીઝ કારે પૂરપાટ ઝડપે બે કારને ટક્કર મારી હતી. રિશીત પટેલ નામના નબીરાએ અકસ્માત કર્યો હતો. મર્સિડીઝ અને ઓડી કારચાલકે રેસિંગ કર્યું હતું. ઘટનાના CCTV પણ સામે આવ્યા છે, […]

રાજકોટમાં ટ્રેન નીચે કપાતા બેનાં મોત, કચ્છમાં અકસ્માતમાં બેનાં મોત

રાજકોટઃ ટ્રેન અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે. રાજકોટથી વેરાવળ જતી ટ્રેન નીચે બે લોકો કપાયા હતા. આ બનાવ જેતપુર પીઠડીયા નજીક બન્યો હતો. ટ્રેન નીચે આવી જતાં બે લોકોનાં મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં 35 વર્ષીય યુવક અને 12 વર્ષના બાળકનું મોત થયું છે. જ્યારે મૃતકોની ઓળખ માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.

Jammu and Kashmir bus accident: જમ્મુ-કાશ્મીર: 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી બસ, 30થી વધુ લોકોનાં મોત

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના ડોડા વિસ્તારમાં મુસાફરોથી ભરેલી બસ અચાનક ઊંડી ખીણમાં ખાબકી છે. જમ્મુ-કિશ્તવાડ નેશનલ હાઈવે પર બુધવારે એક બસ ચેનાબ નદીની ઊંડી ખીણમાં ખાબકી છે. આ અકસ્માતમાં 30થી વધુ લોકોનાં મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં 50 લોકો સવાર હતા. હાલ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. […]